નવી દિલ્હી: 24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જિદ આગળ નમવું પડ્યું. મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસના બગીચામાં સોનભદ્ર નરસંહાર પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ મુલાકાત સાથે જ તેમણે પોતાના ધરણા પણ ખતમ કર્યાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...